આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લીસ્ટ 2023 : આયુષ્માન ભારત – વડા પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમ-જેવાય) એ ભારત સરકારની મુખ્ય યોજના છે, જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દ્વારા કરોડો ગરીબ અને સંવેદનશીલ લાભાર્થી પરિવારોને કવરેજ પૂરી પાડતી કેશલેસ સુવિધા પૂરી પાડતી યોજના છે.
આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લીસ્ટ 2023
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના પરિવારોને લાભ મળેશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી પાત્રતા નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આયુષ્માન ભારત યોજના લાભ
PMAY આયુષ્માન ભારત યોજના : જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરોડો પરિવારોને લાભ મળશે.
- તમારા મોબાઇલ નંબરથી લોગ ઇન કરીને જાણો કે તમારો પરિવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામેલ છે કે નહીં.
- આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.
- જો તમારો પરિવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની યાદીમાં સામેલ છે, તો તમે સૂચિબદ્ધ કોઈપણ હોસ્પિટલમાં તબીબી સારવાર માટે પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
આ 4 સરળ સ્ટેપથી જાણો
- સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
- અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.
- ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.
- આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
સંપૂર્ણ માહિતી | અહીંથી વાંચો |
સરકારી હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
તમારું નામ ચેક | અહીંથી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.pmjay.gov.in/ |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીંથી જોડાઓ |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
